રાજય પોલીસ વિભાગ દ્વારા એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે ગત ઓગસ્ટમાં મોડ-૩ની લેખિત પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ ગત નવેમ્બરમાં જાહેર થયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૨૦ એએસઆઈ પરીક્ષા ખાતાકીય પાસ કરીને પીએસઆઇ બન્યા છે. ત્યારે હાલ તેમાંથી ૪ કર્મીઓને અન્ય જિલ્લામાં પીએસઆઇ તરીકે પોસ્ટીંગ અપાયુ છે. પરીક્ષા માટે રાજયભરમાંથી નોંધાયેલા ૧૩૫૦ પોલીસ કર્મીઓમાંથી ૧૩૦૮એ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરીણામ ગત ઓગસ્ટમાં જાહેર થયુ હતુ. જેમાં જિલ્લાના ૬૦ પરીક્ષાર્થીમાંથી ૨૦ એએસઆઈ પાસ થઈને પીએસઆઈ બન્યા છે. તા. ૩૦મીએ મોડી સાંજે કે રાજય પોલીસ વિભાગ દ્વારા ૨૦૧ હથિયારધારી, ૩૯ બિન હથિયારધારી નવા પીએસઆઈને પોસ્ટીંગ આપ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૬ કર્મીનો સમાવેશ થાય છે. જિલ્લાના હરદેવસીંહ નરેન્દ્રસીંહ ઝાલા અને વિનુભાઈ મેણસીભાઈ ડેરને સુરત શહેર, માલાભાઈ મેરાભાઈ ગમારાને અમરેલી અને અમૃતભાઈ રઘુભાઈ રબારીને વડોદરા શહેર, રામદેવસીંહ ધનશ્યામસંહ ઝાલાને દાહોદ, પુષ્પરાજ મુકેશભાઈ ધાધલને અમદાવાદમાં મુકાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બે PSIને પોસ્ટીંગ મળ્યા છે. જેમાં ખેડાના જયેશભાઈ એમ. પટેલ અને વડોદરા ગ્રામ્યના જયરાજભાઈ છગનભાઈ દેસાઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટીંગ અપાયુ છે. ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા દ્વારા તેઓના પરીવારની હાજરીમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.