કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ૧૦,૦૦૦ થી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પિત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ૧૦,૦૦૦ થી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ શ્રેણીમાં સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો વર્ચ્યુલ માધ્યમથી સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવા અને સહકારથી સમૃદ્ધિ તરફના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે નવા સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આજે સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે ૧૦,૦૦૦ થી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી રાષ્ટ્રને સમર્પિત કરી છે.
સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો વર્ચ્યુલ માધ્યમથી સહભાગી થયા
ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો અને માઇક્રો એ.ટી.એમ.નું વિતરણ કરાયું. જિલ્લામાં સહકારી ક્ષેત્રની પ્રગતિ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૫૭૩ મંડળીઓને પેક્સના માધ્યમથી જોડવામાં આવી છે. ૭૧ મંડળીઓએ પેક્સના માધ્યમથી કોમન સર્વિસ સેન્ટર (CSC)ની રચના કરી છે, જેમાં ૧૭ જેટલી ઓનલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો અને માઇક્રો એટીએમનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ રસપુર્વક નિહાળ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૫૭૩ મંડળીઓને પેક્સના માધ્યમથી જોડવામાં આવી
:નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા
આ તકે સુરસાગર ડેરી ચેરમેન નરેશભાઈ મારૂ, ડિસ્ટ્રીકટ બેંક ચેરમેન હરદેવસિંહ પરમાર, ખેતી અને જમીન વિકાસ બેંક ચેરમેન મંગળસિંહ પરમાર, APMC ચેરમેન રામજીભાઈ ગોહીલ, પૂર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ, સહીત ડેરી ડિરેક્ટર સર્વે ગભરુભાઈ કલોત્રા, નીરુભા પરમાર, જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી કોમલ ચૌધરી, વઢવાણ મામલતદાર કટારા, સુરસાગર ડેરી એમ.ડી. ગુરદિત પ્યારાસિંગ સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતાં.