તમામ સ્પર્ધકોએ તા.૨૭ ડિસેમ્બરે રિપોર્ટીંગ કરવાનું રહેશે
ગુજરાત રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રનાં ઉપક્રમે રાજયકક્ષાની પાંચમી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૪- ૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતભરનાં જુનિયર સાહસવીર ભાઈઓ – બહેનો માટે તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૪, શનિવારનાં સવારે ૦૭.૦૦ કલાકે ચોટીલા તળેટી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર ખાતે યોજાશે. જેમાં રાજ્યના ૧૪ થી ૧૮ વર્ષના ૨૩૪ યુવક અને ૯૧ યુવતી એમ કુલ ૩૨૫ જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ તમામ સ્પર્ધકોએ તા.૨૭/૧૨/૨૦૨૪, સાંજે ૦૪:૩૦ કલાકે ચોટીલા ટ્રસ્ટ નિવાસ, ચોટીલા તળેટી, ચોટીલા ખાતે રિપોર્ટીંગ કરવાનું રહેશે. તેમજ સ્પર્ધાનાં દિવસે સવારે ૬:૩૦ કલાકે હાજર થવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.