સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ્ ખાતે ગુરૂ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસને વીર બાળ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય "નમો કમલમ્" ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હોદેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ સહ ચૂંટણી અધિકારી ધવલભાઇ દવે, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી નરેન્દ્રભાઈ પરમાર, ધારાસભ્ય પી. કે. પરમાર સહીત મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા, જયેશભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, મંડળના પ્રમુખો સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે ઉલેખનીય છે કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ મનાવવાનો નિર્ણય કર્યો હતો.