દેશનાપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુ:ખદ અવસાન નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચનાનુસાર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તા.૨ જાન્યુઆરી-૨૦૨૫, ગુરૂવારના રોજ વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એશોસીયેશન હોલ ખાતે બપોરે ૩ થી ૬ દરમિયાન પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રાર્થના સભામાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ સાથે વિવિધ સામાજિક, ધાર્મિક, વાણિજ્યિક અને કર્મચારી મહામંડળોનાં પ્રતિનિધિઓ તથા જીલ્લાના પત્રકારઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો હાજરી આપીને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપશે તેમ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા સમીરભાઇ જોબનપુત્રાની એક અખબારી યાદીમાં જણાવેલ છે.