સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં જામવાળી ગામ ખાતે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખનન પ્રવૃતિઓ કરવા બદલ રણુભાઈ દાનાભાઈ અલગોતર તેમજ વિજયભાઈ રણુભાઈ અલગોતરને ભારતીય નાગરિક સંહિતા ૨૦૨૩ની કલમ ૧૨૯,૧૩૦ મુજબનો હુકમ કરી કલમ ૧૩૨ની રૂએ મળેલ સત્તા અન્વયે ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી.મકવાણા દ્વારા તા.૧૧.૦૫. ૨૦૨૫ નાં રોજ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
જે વોરંટની અમલવારી માટે સતત પ્રયત્ન કરતાં બંને ઈસમો ફરાર થઈ ગયા છે. અથવા છુપાતા ફરે છે. આથી વોરંટની અમલવારી કરી શકાતી નથી. જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૮૪ થી મળેલા અધિકારો અન્વયે ભાગેડુ બંને ઈસમોને તા.૦૧.૦૭.૨૦૨૫ના રોજ બપોરનાં ૧૨.૦૦ કલાક સુધીમાં ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
નિર્ધારિત સમય મર્યાદામાં બંને ઈસમો ઉપરોક્ત હુકમોનું પાલન નહિ કરે તો, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૮૫ મુજબ ફરારીની મિલકત જપ્તી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.