સુરેન્દ્રનગરમાં 'અતુલ્ય વારસો' અને મહાનગરપાલિકાના સહયોગથી હવા મહેલ ખાતે ભવ્ય હેરિટેજ વોક અને દીપોત્સવ યોજાયો

0
હેરિટેજ સીટી ડેવલોપ થશે તો શહેરની ઇકોનોમી ડેવલપ થશે : 
વઢવાણ ઐતિહાસિક પ્રાચીન શહેર તરીકેની ઓળખ જાળવી રાખવા કટિબંધ છે - ડો.નવનાથ ગવ્હાણે, કમિશ્નરશ્રી, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. 
સુરેન્દ્રનગરના ઐતિહાસિક હવા મહેલ વઢવાણ ખાતે આજે "અતુલ્ય વારસો - ગાંધીનગર" અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય હેરિટેજ વોક અને દીપોત્સવ કાર્યક્રમનું આયોજન તા.૧૦જુન-૨૦૨૫ને મંગળવારે કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરશ્રી ડો. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના વારસાના જતન અને સંવર્ધન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉદબોધન કરતા અતુલ્ય વારસો- ગાંધીનગરના ડિરેક્ટરશ્રી કપિલ ઠાકરે જણાવ્યું હતું કે, "વારસે મઢ્યું વઢવાણ", તૂટેલો પણ આ "હવા મહેલ" એ આપણી ઓળખાણ છે. તેમણે લોકોને આ વારસાને પ્રવાસન સ્થળ બનાવવામાં સહભાગી થવા અપીલ કરી હતી.
વિશ્વ સમક્ષ વઢવાણનો ઇતિહાસ પહોંચે એ માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. - શ્રી રૂદ્રરાજસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ
ડો. વિશાલ જોશીએ હેરિટેજ વારસાની વાત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ અને વઢવાણનો નાતો આધ્યાત્મિક અને ઐતિહાસિક રહ્યો છે. તેમણે વઢવાણને સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર અને ધર્મની દિવ્ય ભૂમિ ગણાવી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ જતન માટે વ્યક્ત કરાયેલા ભાવની સરાહના કરી. તેમણે નાગરિકોને પ્રકૃતિના રક્ષક બની સંસ્કૃતિ જાળવવા પણ અપીલ કરી હતી.
ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી રૂદ્રરાજસિંહ ઝાલાએ વિશ્વ સમક્ષ વઢવાણનો ઇતિહાસ પહોંચે તે માટે મહાનગરપાલિકાના પ્રયાસોને બિરદાવ્યા અને આ વારસાને જાળવવાની સૌની જવાબદારી પર ભાર મૂક્યો.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડો. નવનાથ ગવ્હાણેએ “જ્યાં હોય છે ત્યાં તેની કિંમત નથી હોતી” તેમ કહી નાગરિકોને આ અતુલ્ય વારસાનું જતન કરવા ટકોર કરી. તેમણે ઉમેર્યું કે, "જે અહીંના નથી એ આપણા વારસાના જતન અને રક્ષણ માટે મહેનત કરે છે તો આપણે કેમ ન કરીએ! હેરિટેજ ઇતિહાસ હોય છે, જે માણસને માણસ અને સમાજને સમાજ બનાવે છે. સમાજમાંથી લોકો વારસાના જતન માટે સામે આવશે તો વારસાનું જતન જળવાશે." તેમણે આ હેરિટેજ વોકથી નવી પેઢીમાં વારસા પ્રત્યે જાગૃતિ આવશે અને હેરિટેજ સિટી ડેવલપમેન્ટથી શહેરની ઇકોનોમી પણ ડેવલપ થશે તેવી આશા વ્યક્ત કરી. કમિશનરશ્રીએ મહાનગરપાલિકા દ્વારા હવા મહેલ ખાતે સ્વચ્છતા કરવામાં આવી હોવાનું અને ટૂંક સમયમાં કાયમી લાઇટિંગ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
“વારસે મઢ્યું વઢવાણ”, તૂટેલો પણ આ “હવા મહેલ” એ આપણી ઓળખાણ છે.- કપિલ ઠાકર, ડિરેક્ટરશ્રી અતુલ્ય વારસો
હવા મહેલથી માધાવાવ સુધીની આ હેરિટેજ વોક દરમિયાન કમિશનરશ્રીએ ભોગાવોના કાંઠે સ્થિત શ્રી રાણાકદેવી મંદિરની પણ મુલાકાત લીધી હતી. માધાવાવ ખાતે દીપોત્સવ કાર્યક્રમ સમયે તેમણે વઢવાણને ઐતિહાસિક પ્રાચીન શહેર તરીકેની ઓળખ જાળવી રાખવા કટિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ભારતીય પુરાતત્વ વિભાગ હેઠળ આવતી આ ઐતિહાસિક માધાવાવનું ઝડપથી રીનોવેશન કરવામાં આવશે, જે માત્ર વારસાની નહીં, પણ વિકાસની વાત છે.
આ પ્રસંગે અતુલ્ય વારસો ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ વઢવાણ શહેરના મોમેન્ટો ઓર્થોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. હેરિટેજ વોકના અંતે માધાવાવ વઢવાણ ખાતે યોજાયેલા દીપોત્સવ કાર્યક્રમમાં ધાર્મિક વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી અને રાષ્ટ્રગીત ગવાયું.
આ કાર્યક્રમમાં અતુલ્ય વારસોના શ્રી રોનકભાઈએ સ્વાગત વિધિ કરી, જ્યારે ડિરેક્ટર શ્રી કપિલ ઠાકર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી એસ.કે કટારા, અતુલ્ય વારસો ગાંધીનગરના અતિથિઓ, અગ્રણી સર્વશ્રી અને મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top