સુરેન્દ્રનગર, ચોટીલા અને થાનગઢ પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, નાયબ કલેક્ટર, ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા અને મામલતદાર, થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા તા. ૨૭ મે, ૨૦૨૫ ના રોજ, થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાના (ખાડાના) બુરાણ કરવાનું ટ્રાયલ (પ્રાયોગિક કામગીરી) શરૂ કરવામાં આવ્યું છે.
આ ગેરકાયદેસર કૂવો ચોટીલા-થાનગઢ રોડ પર આવેલી ગોકુળ ગ્રાન્ટેઝ હોટલની સામેની સાઈડમાં આવેલા સરકારી સર્વે નંબર ૧૦૫ વાળી જમીનમાં આવેલો હતો. તંત્ર દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બુરાણ કામગીરી ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે એક ઉદાહરણ પૂરું પાડશે. તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.