'ઓપરેશન સિંદૂર'ની ઐતિહાસિક સફળતા બાદ માતૃભૂમિની પ્રથમ મુલાકાતે પધારેલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે મોડી સાંજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજભવન આગમન સમયે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને આત્મિયતાપૂર્વક આવકારતાં રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલમાં દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જે વિકસિત ભારતના સંકલ્પ અને અમૃતકાલના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે. (BY રાજભવન ગાંધીનગર એચ.ઓ)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજભવન આગમન સમયે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને આત્મિયતાપૂર્વક આવકારતાં રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલમાં દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જે વિકસિત ભારતના સંકલ્પ અને અમૃતકાલના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે. (BY રાજભવન ગાંધીનગર એચ.ઓ)