સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપતા એક મહત્વપૂર્ણ પગલા રૂપે, માવસરથી અંબાળા સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેનાથી આજુબાજુના ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.આ પ્રસંગે તાલુકા અને જિલ્લાના અનેક જવાબદાર હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમાર આ રોડના નિર્માણથી સ્થાનિક લોકોને થનારા ફાયદા અને પ્રદેશના વિકાસમાં તેના યોગદાન વિશે વાત કરી હતી. આ નવો ડામર રોડ માવસર અને અંબાળા વચ્ચેની કનેક્ટિવિટી સુધારશે, જે પરિવહન સરળ બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે તેવી અપેક્ષા છે. આ વિકાસ કાર્યથી વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણી સંતોષાઈ છે.આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, સુરાભાઈ રબારી, હિતેશભાઈ રાવલ, રામભાઈ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.