લખતર તાલુકામાં એ.વી.ઓઝા સંસ્કાર વિદ્યાલય ખાતે પર્યાવરણ જાગૃતિ નાટ્ય કાર્યક્રમો યોજાયો

0
સુરેદ્રનગરમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા એ.વી.ઓઝા સંસ્કાર વિદ્યાલય લખતર ખાતે "વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ આધારિત નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોનું સન્માન ફૂલઝાડનાં રોપાઓ આપીને કરવામાં આવ્યું, જેથી પર્યાવરણ અંગેની જાગૃતિ અભિયાનને પ્રોત્સાહન મળી શકે.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ અજયગિરિ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા લોકસંગીતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કલા મહાકુંભમાં લોકગીત અને ભજન સ્પર્ધામાં વિજેતા થયેલ હર્ષિતા સિસાએ પોતાની ભજન કલાની અદભુત રજૂઆત કરી હતી. આજના કાર્યક્રમનું આકર્ષણ એવા રમૂજ સાથેના ‘પ્લાસ્ટિકમુક્ત લખતર’નો સંદેશો આપતું નાટક અરવિંદભાઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણની જાગૃતિ લાવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે રજૂઆત કરવામાં  આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ નાગરિકો દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણના રક્ષણ અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહીલ, જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી મોનીકાબેન ચુડાસમા, યોગ કોચ શ્રી પુષ્પાબેન પટેલ તેમજ યોગ ટ્રેનર શ્રી જીજ્ઞાબેન દેત્રોજા તેમજ મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top