રાષ્ટ્રપતિ ભવનમાં આર્ટિસ્ટ્સ ઇન રેસિડેન્સ કાર્યક્રમના ભાગ રૂપે કલાકારોના એક જૂથે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની 26 મે, 2025 મુલાકાત લીધી હતી. આર્ટિસ્ટ્સ ઇન રેસિડેન્સ કાર્યક્રમ - કલા ઉત્સવમાં ભારતના પરંપરાગત કલા સ્વરૂપોને તેમના મૂળ સ્વરૂપોમાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. આ કલા ઉત્સવે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના લોક, આદિવાસી અને પરંપરાગત કલાકારોને એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે, જેમણે પેઢીઓથી કલાના વિવિધ સ્વરૂપોને જીવંત રાખ્યા છે.મધ્યપ્રદેશની ગોંડ કલા અને બિહારની મધુબની કલાના કલાકારો 20 થી 27 મે, 2025 સુધી રાષ્ટ્રપતિ ભવન ખાતે આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્સ પ્રોગ્રામ હેઠળ રોકાયા છે. તેઓમાં સામેલ છે - મધુબની કલાકારો - શાંતિ દેવી, અંબિકા દેવી, મનીષા ઝા, પ્રીતિ કર્ણ, રંજન પાસવાન, શાંતિ દેવી, ઉર્મિલા દેવી, શ્રવણ પાસવાન, કુમારી નલિની શાહ અને મોતી કર્ણ અને ગોંડ કલાકારો - દુર્ગાબાઈ વ્યામ, સુભાષ વ્યામ, નનકુસિયા શ્યામ, રામસિંહ ઉર્વેતી, દિલીપ શ્યામ, ચંપાકલી, હીરામન ઉર્વેતી અને જપાની શ્યામ ધુર્વે.રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમના રોકાણ દરમિયાન બનાવેલા તેમના ચિત્રો નિહાળ્યા. તેમણે ભારતના મહત્વપૂર્ણ પરંપરાગત કલા સ્વરૂપોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી અને તેમના ભવિષ્યના કલાત્મક પ્રયાસમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.(by PIB Ahmedabad)
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.