દેશના કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે ભુજ ખાતેના સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ થીમ પર આધારિત સાત બ્લોક્સની મુલાકાત લઈને ૨૦૦૧ના ભયાનક ભૂકંપના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલું સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય ગુજરાતમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ સંગ્રહાલય ભૂકંપના વિવિધ પાસાઓ અને તેના પછીની પુનઃનિર્માણની ગાથાને દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે સ્મૃતિવનને તાજેતરમાં જ યુનેસ્કોના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલથી નવાજવામાં આવ્યું છે, જે તેની સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્વને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપે છે. રાજનાથ સિંહની આ મુલાકાત સ્મૃતિવનના મહત્વ અને ભૂકંપ પીડિતોની સ્મૃતિને જાળવી રાખવાના પ્રયાસોને વધુ બળ આપશે.