અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.1593 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) હેઠળ રોજગાર મેળવનાર 3000 લાભાર્થીઓના યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. વધુમાં, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અને ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ પસંદગી પામેલા લાભાર્થીઓને પણ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના 700 થી વધુ જુનિયર ક્લાર્કને આ પ્રસંગે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.પોતાના સંબોધનમાં, શ્રી અમિતભાઈ શાહે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આતંકવાદને ડામવા માટે કરવામાં આવેલા પ્રયાસોની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિકાસ ઉત્સવને "Earning Well, Living Well" ના મંત્રને સાકાર કરનારો ગણાવ્યો હતો. તેમણે શહેરોને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને નાગરિક-કેન્દ્રિત બનાવવાના ધ્યેય સાથે વિકસિત શહેરો દ્વારા વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમ અમદાવાદના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જે રોજગારીની તકો વધારવા અને નાગરિકોના જીવનધોરણને સુધારવામાં મદદરૂપ થશે.(સીએમઓ,ગુજરાત)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિકાસ ઉત્સવને "Earning Well, Living Well" ના મંત્રને સાકાર કરનારો ગણાવ્યો હતો. તેમણે શહેરોને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને નાગરિક-કેન્દ્રિત બનાવવાના ધ્યેય સાથે વિકસિત શહેરો દ્વારા વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમ અમદાવાદના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જે રોજગારીની તકો વધારવા અને નાગરિકોના જીવનધોરણને સુધારવામાં મદદરૂપ થશે.(સીએમઓ,ગુજરાત)