વિશ્વભરની ઐતિહાસિક ઈમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન અને સંરક્ષણ કરવાનો અને લોકોને તેના વિશે જાગૃત કરવાનો અવસર એટલે ‘વિશ્વ ધરોહર દિવસ’. આપણી આવનારી ભાવિ પેઢીઓ આ અમૂલ્ય વારસાથી સુમાહિતગાર થઈ શકે તે માટે દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ યુનેસ્કો દ્વારા ‘વિશ્વ ધરોહર દિવસ’ની ઉજવણી જુદી જુદી થીમ અન્વયે કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ ધરોહર દિવસ’ની ઉજવણી "કુદરતી આફતો અને સંઘર્ષોથી ખતરામાં રહેલો વારસો: ICOMOSની ૬૦ વર્ષની કામગીરીમાંથી તૈયારી અને શીખ" થીમ અંતર્ગત કરવામાં આવશે.
વિશ્વ ધરોહર દિવસનો ઇતિહાસ...
વિશ્વ ધરોહર દિવસનો ખ્યાલ ૧૯૮૨માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ૧૯૮૩માં સંયુક્ત રાષ્ટ્રની ૨૨મી જનરલ એસેમ્બલીમાં તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. ૧૮ એપ્રિલ, ૧૯૮૨માં વર્લ્ડ કલ્ચરલ એન્ડ નેચરલ હેરિટેજના – ICOMOSના સ્થાપના દિવસને પસંદ કરવામાં આવ્યો. ત્યારથી, વિશ્વભરના દેશો આ દિવસની ઉજવણી તેમના વારસાનું પ્રદર્શન કરવા, ટકાઉ પર્યટનને પ્રોત્સાહન આપવા અને સમુદાયોને સ્મારકો અને ઐતિહાસિક સ્થળોનું રક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કરે છે.
દરેક રાષ્ટ્રનો પોતાનો ઈતિહાસ હોય છે અને તે ઈતિહાસ સાથે જોડાયેલી અનેક ગૌરવપૂર્ણ બાબતો હોય છે. દેશના જુદા-જુદા ભાગોમાં આવેલા તે સમયના સ્મારકો અને ઐતિહાસિક ધરોહરો આ ગૌરવગાથાઓની યાદ અપાવે છે. ઈતિહાસના પૃષ્ઠો પર નોંધાયેલા યુદ્ધો, મહાન વ્યક્તિઓ, કળા, સંસ્કૃતિ વગેરેના જીવંત પુરાવા તરીકે આ સ્થળોને જાળવી રાખવા અત્યંત જરૂરી છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો તેમજ જુદા-જુદા મોન્યુમેન્ટ્સની વિરાસતને જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ અને લોકોને તેના ઈતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહત્ત્વથી પરિચિત કરાવવા માટે “વિરાસત ભી, વિકાસ ભી”નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે. આ તમામ ભવ્ય ધરોહરોની સાચવણી અને તેનું રક્ષણ કરવા માટે આજના દિવસે ખાસ સંકલ્પ લેવામાં આવે છે. જો કોઇ ઇમારતની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ હોય તો તેને રક્ષિત સ્મારક ગણવામાં આવે છે. આવા સ્મારકો રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાના સાચા રક્ષકો અને વાહકો છે.
ગુજરાત રાજયની આવી ૧૦૦ વર્ષથી જૂની ઈમારતોની વિશેષ જાળવણી અને રક્ષણ કરવા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ સતત કાર્યરત છે. તેના જતન માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજના દિવસે અવશ્ય એકવાર આસપાસ સ્થિત ઇમારતોને નિહાળી વારસામાં મળેલ અદભુત ભેટનો સંગ્રહ કરવા નિર્ણય કરી ગામડાથી લઇ શહેર સુધીના અનેક વિસ્તારોમાં આવેલ સાંસ્કૃતિ વિરાસતોને ઓળખી તેની જાળવણી કરવા સૌ કટિબધ્ધ થઇએ. સાચા અર્થમાં ઇમારતોનું જતન એટલે ભવિષ્યનું સંરક્ષણ.. વર્લ્ડ હેરિટેજ ડે એ ફક્ત એક દિવસની ઉજવણી નથી પરંતુ આપણી આસપાસના અનેક વારસાને જીવંત રાખવાની પ્રેરણા છે. તે દરેકને સતત આપણા વારસા અને આપણી ઇમારતોને ભવિષ્ય માટે કઈ રીતે જાળવી તેનું દિશાસૂચન કરે છે.
વિશ્વ ધરોહર દિવસનો ઇતિહાસ...
વિશ્વ ધરોહર દિવસનો ખ્યાલ ૧૯૮૨માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ૧૯૮૩માં સંયુક્ત રાષ્ટ્રની ૨૨મી જનરલ એસેમ્બલીમાં તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. ૧૮ એપ્રિલ, ૧૯૮૨માં વર્લ્ડ કલ્ચરલ એન્ડ નેચરલ હેરિટેજના – ICOMOSના સ્થાપના દિવસને પસંદ કરવામાં આવ્યો. ત્યારથી, વિશ્વભરના દેશો આ દિવસની ઉજવણી તેમના વારસાનું પ્રદર્શન કરવા, ટકાઉ પર્યટનને પ્રોત્સાહન આપવા અને સમુદાયોને સ્મારકો અને ઐતિહાસિક સ્થળોનું રક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કરે છે.
દરેક રાષ્ટ્રનો પોતાનો ઈતિહાસ હોય છે અને તે ઈતિહાસ સાથે જોડાયેલી અનેક ગૌરવપૂર્ણ બાબતો હોય છે. દેશના જુદા-જુદા ભાગોમાં આવેલા તે સમયના સ્મારકો અને ઐતિહાસિક ધરોહરો આ ગૌરવગાથાઓની યાદ અપાવે છે. ઈતિહાસના પૃષ્ઠો પર નોંધાયેલા યુદ્ધો, મહાન વ્યક્તિઓ, કળા, સંસ્કૃતિ વગેરેના જીવંત પુરાવા તરીકે આ સ્થળોને જાળવી રાખવા અત્યંત જરૂરી છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો તેમજ જુદા-જુદા મોન્યુમેન્ટ્સની વિરાસતને જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ અને લોકોને તેના ઈતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહત્ત્વથી પરિચિત કરાવવા માટે “વિરાસત ભી, વિકાસ ભી”નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે. આ તમામ ભવ્ય ધરોહરોની સાચવણી અને તેનું રક્ષણ કરવા માટે આજના દિવસે ખાસ સંકલ્પ લેવામાં આવે છે. જો કોઇ ઇમારતની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ હોય તો તેને રક્ષિત સ્મારક ગણવામાં આવે છે. આવા સ્મારકો રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાના સાચા રક્ષકો અને વાહકો છે.
ગુજરાત રાજયની આવી ૧૦૦ વર્ષથી જૂની ઈમારતોની વિશેષ જાળવણી અને રક્ષણ કરવા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ સતત કાર્યરત છે. તેના જતન માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજના દિવસે અવશ્ય એકવાર આસપાસ સ્થિત ઇમારતોને નિહાળી વારસામાં મળેલ અદભુત ભેટનો સંગ્રહ કરવા નિર્ણય કરી ગામડાથી લઇ શહેર સુધીના અનેક વિસ્તારોમાં આવેલ સાંસ્કૃતિ વિરાસતોને ઓળખી તેની જાળવણી કરવા સૌ કટિબધ્ધ થઇએ. સાચા અર્થમાં ઇમારતોનું જતન એટલે ભવિષ્યનું સંરક્ષણ.. વર્લ્ડ હેરિટેજ ડે એ ફક્ત એક દિવસની ઉજવણી નથી પરંતુ આપણી આસપાસના અનેક વારસાને જીવંત રાખવાની પ્રેરણા છે. તે દરેકને સતત આપણા વારસા અને આપણી ઇમારતોને ભવિષ્ય માટે કઈ રીતે જાળવી તેનું દિશાસૂચન કરે છે.