નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટની ૯૯% જેટલી ચાલુ બાબતો -અને ૭૭% ટકા જેવી નવી બાબતોની મંજૂરી આપવામાં આવી છે - પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
જેના ભાગરૂપે આજે કેબિનેટ બેઠકમાં નાણા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્તોનું પણ રીવ્યું કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫-૨૬ માં રજૂ થયેલ ૩ લાખ ૭૦ હજાર કરોડથી વધુની રકમમાં ૯૯% જેટલી ચાલુ બાબતો અને ૭૭ % જેવી નવી બાબતોની મંજૂરી નાણાં વિભાગ દ્વારા આપવામાં આવી હોવાનું મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. જેમાં ચાલુ બાબતોમાં કુલ – ૨૭૧૯ પૈકી ૨૬૯૨ અને નવી બાબતોમાં કુલ - ૧૧૪૮ પૈકી ૮૮૩ બાબતોને મંજૂરી આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.