સુરેન્દ્રનગર શહેરની ઓમકાર વિદ્યાલયમાં વિ.હિ.પ. ની આગેવાની હેઠળ કર્ણાવતી ક્ષેત્રનો મહિલાઓ માટે ત્રિ દિવસીય પ્રશિક્ષણ વર્ગ નો સમાપન સમારોહ યોજાયો હતો. પ્રશિક્ષણ વર્ગ 15 થી 35 વયની યુવતીઓ અને મહિલાઓએ પોતાના માટે આત્મ રક્ષણ કેવી રીતે કરવું ? તેની તાલીમ આપવામાં આવી હતી. દીકરીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાના હેતુસર તાલીમ આપવા પ્રશિક્ષણ વર્ગ દર વર્ષે યોજવામાં આવે છે.
સેવા, સુરક્ષા અને સંસ્કાર સાથે દીકરીઓના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી 55 જેટલી દીકરીઓ અને મહિલાઓને તલવાર, દંડ, લાઠી, રાયફલ જેવા હથિયારો ની તાલીમ આપવામાં આવી હતી. સમાપન સમારોહ વેળાએ દુર્ગા વાહિની પ્રદેશ સંયોજક યક્ષાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.
શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે દીકરીઓ સમાજમાં પોતાનું સ્થાન માનભેર પ્રસ્થાપિત કરે તેને ધ્યાને રાખી તાલીમ આપવામાં આવે છે.