સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી શંકાસ્પદ રીતે હથીયાર અંગેના પરવાના મેળવતા કુલ-૧૭ ઇસમો વિરૂધ્ધ આર્મસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો

0
સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન-૦૪, થાન-૦૩, મુળી-૦૪, નાની મોલડી-૦૧, સાયલા-૦૩, લીંબડી-૦૨ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી 
સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખનાર ઇસમો શોધી કાઢી હથીયારધારાના વધુમાં વધુમાં કેશો કરવા તેમજ ગેરકાયદેસર હથીયારો મોટા ભાગે બહારના જીલ્લા/રાજ્યમાંથી આવતા હોય જે અંગે એક રેકેટ ચાલતુ હોય જે રેકેટનો પર્દાફાશ કરવા માટે અશોકકુમાર યાદવ સાહેબ(IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટની સુચના માર્ગદર્શન હેઠળ ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS)નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરના સુચના અને માર્ગદર્શન આધારે પીઆઈ બી. એચ. શીંગરખીયાને બાતમી મેળવેલ કે, સુરેન્દ્રનગર જીલ્લામાં અમુક ઇસમો જેમના વિરૂધ્ધ સુરેન્દ્રનગર જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં ગુનાઓ દાખલ થયેલ છે અને આવા ઇસમોને સુરેન્દ્રનગર જીલ્લામાંથી જીલ્લા કલેકટર તથા ગુજરાત રાજ્યમાંથી હથીયાર લાઇસન્સ મળવાની સંભાવના ઓછી હોય તેમજ જેઓને હથીયાર રાખવા માટે લાઇસન્સ મળેલ ન હોય અથવા મળી શકે તેમ ના હોય તેવા ઇસમો બહારના રાજ્યમાંથી જેમા ખાસ કરીને મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી ઓલ ઇન્ડીયા પરમીટ મેળવેલાની હકિક્ત મળેલ હતી.
આથી જે શંકાસ્પદ જણાઇ આવતા જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરનાઓની મંજુરી આધારે આ કામે હ્યુમન સોર્સીસ, ટેકનીકલ સોર્સીસ આધારે સુરેન્દ્રનગર જીલ્લાના કુલ-૧૭ ઇસમોએ મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી ગુજરાત રાજયના તથા મણીપુર અને નાગાલેન્ડ તથા હરીયાણાના એજન્ટ મારફતે હથીયાર ધારા અંગેના પરવાના મેળવી કુલ-૨૫ હથીયારો જેમા પિસ્ટલ-૫, રીવોલ્વર-૧૨, બારાબોર-૮, કાર્ટીસ નંગ-૨૧૬ મેળવેલાની હકિકત મળેલ હોય જે તમામ ઇસમોને સુરેન્દ્રનગર એસ.ઓ.જી.કચેરીએ લાવી તેઓની પુછપરછ કરી હતી. આથી આ તેઓએ મણીપુર તથા નાગાલેન્ડ ખાતેથી મુકેશભાઈ ભરવાડ રહે, મુળ વાકાનેર, છેલાભાઇ વેલાભાઇ ભરવાડ રહે,મુળ દરોદ તા.ચુડા જી.સુરેન્દ્રનગર હાલ રહે,સુરત, વિજયભાઇ ભરવાડ રહે,સુરત, શોકતઅલી રહે,હરીયાણા વાળાઓ મારફતે હથીયાર અંગે પરવાના મેળવેલાની તથા તે પરવાના આધારે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યમાંથી હથીયાર ખરીદી કરેલાની કબુલાત આપી હતી. જેથી પોલીસે શંકાસ્પદ પરવાના બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવા માટે હથીયારો તથા પરવાના કબજે કરી કુલ -૧૭ ઇસમો વિરૂધ્ધ આર્મસ રૂલ્સ ૨૦૧૬ ના નિયમ-૧૭, ૧૮ તથા આર્મસ એક્ટની કલમ -૩૦ તથા આઇ.પી.કલમ-૧૮૮ મુજબ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન-૦૪, થાન-૦૩, મુળી-૦૪, નાની મોલડી-૦૧, સાયલા-૦૩, લીંબડી-૦૨ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જ્યારે પોલીસે ઇસમો પૈકી હથીયાર પરવાનો મેળવેલ છે.તેમા કુલ-૧૭ ઇસમોએ હથીયાર પરવાના તથા હથીયાર મેળવેલ હોય જે પૈકી ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા ચાર ઇસમોની તપાસ ચાલુ છે. ચાર ઇસમોએ હથીયાર પરવાનો મેળવેલ છે પરંતુ હથીયાર ખરીદેલ નથી જે પૈકી એક ઇસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
આ કામગીરીમાં PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અરવિંદસિંહ દિલુભા ઝાલા, HC અમરકુમાર કનુભા ગઢવી,HC અનિરૂધ્ધસિંહ અભેસંગભા ખેર, HC જગમાલભાઈ અંબારામભાઈ મેટાલીયા PC અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, PC મહાવિરસિંહ જોરુભા રાઠોડ, PC મુનાભાઈ નાનજીભાઇ રાઠોડ, PC રવિરાજભાઇ મેરૂભાઇ ખાચર, PC અશ્વિનભાઇ કરશનભાઇ વાઘેલા, PCનિતીનભાઈ હરેશભાઈ ગોહિલ, PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા, WUPC રૂપાબેન રસિકકુમાર જાની, WUPC ભાવિકાબેન નરોત્તમભાઈ સાકરીયા સહિતના પોલીસ અધિકારી/કર્મચારીની રોકાયેલ હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top