સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બાતમીના આધારે ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા ઈસમોને રોકડ રકમ છ રૂ. ૬૩,૩૮૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૭૩,૩૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબની સૂચનાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ
બ્રાન્ચે દારૂ અને જુગાર જેવી બદીઓ ઝિંઝુવાડા દૂર થાય તે માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) સતત કાર્યરત છે. એલ.સી.બી. પી.આઈ.શ્રી જે. જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમો દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.દરમિયાન, એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝિંઝુવાડા ગામે
બસ સ્ટેશન પાસે કેટલાક લોકો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છ ઈસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૬૩,૩૮૦/-, ગંજીપાનાના સેટ અને छ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૭૩,૩૮૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ સિઝુવાડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી જે. જે. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે. વાથે પઠાણ તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.