બાળ લગ્ન અટકાવીએ, સામાજિક જવાબદારી નિભાવીએ:બાળલગ્ન કરાવનારને ૨ વર્ષ સુધીની કેદ, ૧ લાખના દંડની જોગવાઈ

0
સુરેન્દ્રનગરમાં બાળ લગ્ન અટકાવવાના આશયથી જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક 
કચેરી દ્વારા ૦૨૭૫૨ ૨૮૫૫૫૨, ૦૨૭૫૨ ૨૮૫૭૧૨ હેલ્પલાઇન નંબર જાહેર
અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત  માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં વિવિધ સમાજના લગ્ન યોજાતા હોય છે. ત્યારે બાળ લગ્ન અટકાવવાના આશયથી સુરેન્દ્રનગર જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 
ખાસ તો બાળ લગ્ન ન થાય તે માટે માતા પિતા ઉપરાંત સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાન, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઇયા, મંડપ ડેકોરેશન કરનાર, ફોટોગ્રાફર, લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બંને પરિવારોએ બાળલગ્ન ન થાય તેની વિશેષ કાળજી રાખવી આવશ્યક છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ ૫હેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ ૫હેલા થાય એ સજાપાત્ર ગુનો અને સામાજિક દુષણ ૫ણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય ૫ર ઘણી જ વિ૫રીત અસર થાય છે. તેથી બાળલગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે.
બાળકોની ઉંમર પૂર્ણ થયે જ દીકરા-દીકરીના માતા-પિતા પરિવાર દ્વારા દીકરા-દીકરીના લગ્નનું આયોજન કરવું જોઈએ. આસપાસના વિસ્તાર, ગામ કે મોહલ્લામાં બાળલગ્ન ન થાય તે તકેદારી રાખવી. જો બાળ લગ્ન થાય તો એક લાખનો દંડ અને બે વર્ષની કેદની સજાની જોગવાઈ છે.
આમ, સામાજિક જવાબદારી સમજી બાળલગ્નને અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સુરેન્દ્રનગર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ.વી.ડાભી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એ.કે.મોટકા દ્વારા હેલ્પલાઈન ફોન નંબર ૦૨૭૫૨ ૨૮૫૫૫૨, ૦૨૭૫૨ ૨૮૫૭૧૨ જાહેર કરવામાં આવ્યા છે. તદુપરાંત ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮, પોલીસ ૧૦૦,  અભયમ હેલ્પલાઇન ૧૮૧ સહિતના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો, તેમ સુરેન્દ્રનગર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top