નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયા (IPS)એ સુરેન્દ્રનગર જીલ્લામાં પેરોલ/ફર્લો/વચગાળાના જામીનતથા પોલીસ જાપ્તામાંથી ફરાર હોય તેવા કેદીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ ફરી આવા કેદીઓ બાબતે હકિકતો મેળવી તપાસ કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરીને અસરકારક કામગીરી કરવા માટે એલ.સી.બી શાખાના પો.ઇન્સ. જે.જે જાડેજાને સૂચના માર્ગદર્શન કરેલ હતું. જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગર પોલીસ સબ ઇન્સ.જે વાય પઠાણને ટીમ દ્વારા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ પેટોલ/ફર્લો/વચગાળાના જામીન તથા પોલીસ જાપ્તામાંથી ફરાર હોય તેવા કેદીઓને શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ હતી.
ત્યારે તા.૦૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમ તથા એલ.સી.બી ટીમ ફરાર કેદીઓને પકડી પાડવા સાર સતત પ્રત્નશીલ હતા. તે દરમ્યાન સાથેનાપો કોન્સ શક્તિસિંહ જોરૂભાનાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી ચુડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦૮/૨૦૨૧ આઈ.પી.સી કલમ ૩૦૨ મુજબ ગુન્હાનો વચગાળાની જામીન રજા પરથી ફરાર કેદી અજીતભાઇ કવાભાઇ અણીયાળીયા રહે ગામ કોરડા તા.ચુડા જી.સુરેન્દ્રનગરને મોરબી ખાતેથી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર સબ જેલને સોપવામા આવેલ હતો.
આ કામગીરીમાં PI - જે.જે.જાડેજા, PSI- જે.વાય. પઠાણ, HC- દેવરાજભાઇ જોગરાજીયા, PC શક્તિસિહ જોરૂભા સહિતના પોલીસ અધિકારી/કર્મચારીમા રોકાયેલ.