દાધોળીયા કુમાર કન્યા પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકોનો વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ અને શીતલબેન દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી તેમજ કન્યા શાળાની ધોરણ 7 ની બાળાઓ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
ધોરણ 8 ની દીકરીઓએ વિદાય ગીત રજૂ કર્યું તો કુમાર શાળાના વિધાર્થી કૃણાલે મુજ દ્વારેથી ઓ પંખીડા ગીતનું ગાયન કર્યું હતું. ત્યારબાદ બંને શાળાના આચાર્ય શ્રી એ બાળકોને પ્રેરણા પૂરી પાડતું પ્રેરક ઉદબોધન કર્યું હતું. શાળા પરિવાર તરફથી વિદાય લઈ રહેલા તમામ બાળકો ને પેડ અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કુમાર શાળાના વિદાય લઈ રહેલા બાળકો એ કુમાર શાળાને પોડિયમ સ્ટેન્ડ તેમની કાયમી યાદગીરી સ્વરૂપે ભેટ આપ્યું હતું.
કન્યા શાળાની વિદાય લઈ રહેલી દીકરીઓ તરફથી શાળાને 8 દિવાલ ઘડિયાળ આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે 350 બાળકો અને શિક્ષકોએ પૂરી,શાક અને કેરીના રસનું ભોજન કર્યું હતું. પૂરી શાક મણિલાલ પ્રજાપતિ તરફથી તેમજ રસ સ્ટાફ તરફથી ખવડાવવામાં આવ્યો હતો. કન્યા શાળાની વિદાય લઈ રહેલી દરેક દીકરીને રીટાબેન તરફથી સ્ટીલના ડબ્બા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમ દુઃખ સાથે આનંદથી ઉજવવામાં આવ્યો હતો.
.......................................................................................................................................................................
વિદાય શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો...
મુળી તાલુકાની એમ.ડી.આર.કન્યા વિદ્યાલયમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા વર્ષાબેન વી. ચૌહાણ અને હિનાબેન કે. અગ્રાવત જૂના શિક્ષક તરીકે એમના વતનમાં બદલી થતાં વિદાય શુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળના મંત્રી શ્રી રાવલ સર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.