સુરેન્દ્રનગરના બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

0
સુરેન્દ્રનગર શહરે અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી જુગાર ધમધતા હોવાનું સામે આવ્યું હતું. જેથી વિજિલન્સની ટીમે ઘોડી પાસાનો જુગાર રમતા નવ શખ્સોની અટકાયત કરી હતી. ત્યારે આ તમામ પાસેથી કૂલ ૨૩ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. એસએમસીની ટીમના દરોડા બાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સુરેન્દ્રનગર ડીઆઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં ગાંધીનગર એસએમસી ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો . શહેરના રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં મનસુખ ઉર્ફે ચકો પરમારના મકાનમાંથી ૯ શખ્સોને પાડી એસએમસી પોલીસે કુલ રૂ. ૨૩,૦૫,૫૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રોકડા રૂ.૫,૪૧,૩૨, નવ મોબાઈલ ફોન કિં. રૂ. ૪,૧૪,૦૦૦ અને સાત વાહનો કિંમત રૂ. ૧૩,૫૦,૦૦૦નો થાય હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top