રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય
વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઇ જાહેર જનતાના હિતને
ધ્યાનમાં રાખી તા.૨૨/૦૩/૨૦૨૫ના જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર
કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ
રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેથી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર
કચેરીઓમાં (વૈકલ્પિક દિવસે કાર્યરત સિવાયની) નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન
એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.