સુરેન્દ્રનગરના વઢવાણ શિયાણીની પોળ મુખ્ય શાકમાર્કેટમાં છૂટક શાકભાજીનો વેપાર કરતા ફેરિયાઓએ બોલ્યો હોબાળો મચી ગયો હતો. હાલ બેદિવસમાં હોળી ધૂળેટીનો તહેવાર હોવાથી વેપારીઓ હજારો રૂપિયાનો માલ ખરીદીને આવ્યો હો આથી બેસવાની વ્યવસ્થા ન હોવાથી પરેશિન થયા હતા. ત્યારે અગાઉ મનપાના ડેપ્યુટી કમિશ્નર દ્વારા દરવાજાની અંદર બેસીને શાકભાજીનુ વેચવાની સૂચના આપવામાં આવી હતી. તાજેતરમાં રાજ્યસકાર દ્વારા જાહેરકરવામાં આવેલ મહાનગર પાલિકાના મા સુરેન્દ્રનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શાક વેચનારાઓ દરવાજાની વચ્ચે રસ્તા ઉપર જ બેસી જવાથી ટ્રાફિકજામ અને પશુઓનો અડિંગો જામવાથી અકસ્માતના બનાવોમા વધારો જોવા મળતા વઢવાણના પ્રવેશ દ્વાર શિયાણીપોળમાં શાકમાર્કેટમાં દરવાજાની બાહર બેસીને છૂટક શાકભાજીનો વ્યવસાય કરતા ફેરિયાઓ માટે અગાઉ ડેપ્યુટી કમિશ્નર દ્વારા દરવાજાની અંદર બેસીને શાકભાજી વેચવાની સૂચના આપવામાં આવી હતી.પરંતુ હાલ શાકમાર્કેટ દરવાજાની અંદર જગ્યાનો અભાવ તેમજ દરવાજાની અંદર વરસોથી વ્યવસાય કરતા વેપારો દ્વારા વાંધો ઉઠાવતા તહેવાર ના દીવસોમાં ધંધાર્થી ઓ ને ખોટ ખાવાનો વારો આવ્યો આવી ગઇ છે. હાલ કોઈ વેલ્પિક વ્યવસાય ન હોવાથી વેપારીઓ એ તંત્ર પાસે શાક માર્કેટ દરવાજાની બહાર બેસી ને શાકભાજીનો ધંધો કરવા દેવામાં આવે તેવી કરી હતી માંગ ઉઠવા પામી હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.