ભારતીય માનક બ્યુરો (BIS), ગાંધીધામ શાખા કચેરી દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ નું આયોજન સોમપુરાની વાડી, વઢવાણ, જિલ્લા સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના અધિકારો વિષે જાગૃત કરવો તથા ઉત્પાદનની ગુણવત્તા અને સુરક્ષાના મહત્વ વિશે માહિતી આપવાનો હતો.
કાર્યક્રમનું સંચાલન સુમિત ગજ્જર (BIS ગાંધીધામ શાખા કચેરી) દ્વારા કરવામાં આવ્યું, અને જ્યોત્સ્નાબેન જોષી (સદગુરુ મહિલા વિકાસ મંડળ) ની સહાયથી સ્થાનિક લોકોના ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં આવી. કાર્યક્રમમાં જીગ્નેશ અડેસરા (ગ્રાહક સુરક્ષા અધિકારી), મીનાબા લીંબડ (અધ્યક્ષ, પર્વ સંસ્કૃતિ સમિતિ), અને નિશાબેન રામાનુજ (પ્રોગ્રામ મેનેજર, શહેરી વિકાસ) જેવી માનનીય વ્યક્તિઓની ઉપસ્થિતિ રહી.શ્રી પ્રહલાદ પટેલ, સ્ટાન્ડર્ડ પ્રોમોશન ઓફિસર, BIS ગાંધીધામ, એ BIS ની ભૂમિકા અને તેના પ્રમાણપત્રો (ISI માર્ક અને હોલમાર્ક) વિષે વિસ્તૃત માહિતી આપી, તેમજ ઉત્પાદનની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા ના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. ગ્રાહક અધિકારો અને ઉત્પાદનોના ધોરણો વિશે લોકોની શંકાઓનુ નિવારણ પણ કરવામા આવ્યુ.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ગ્રાહક અધિકારો અંગે માહિતી પૂરી પાડવામાં આવી, અને ISI માર્ક તથા હોલમાર્ક સાથે BIS પ્રમાણિત ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આયોજનમાં 150થી વધુ મહિલાઓએ સક્રિય ભાગ લીધો, જેના કારણે કાર્યક્રમ અત્યંત સફળ બન્યો. આ કાર્યક્રમ ગુણવત્તા ધોરણોના મહત્વને મજબૂત બનાવતા ગ્રાહકોને યોગ્ય ખરીદી માટે જાગૃત કરવા માટે એક મહત્વની પહેલ સાબિત થયો. BIS સતત ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત છે.