સુરેન્દ્રનગરમાં ગાંધીનગર એસએમસી ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આવેલ આંબેડકરનગરમાં મનસુખ ઉર્ફે ચકો પરમારના મકાનમાંથી ૯ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે smc પોલીસે ડિવિઝનને સોંપતા વધુ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં ગાંધીનગર એસએમસી ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો . શહેરના રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં મનસુખ ઉર્ફે ચકો પરમારના મકાનમાંથી ૯ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ દરોડામાં એસએમસી પોલીસે કુલ રૂ. ૨૩,૦૫,૫૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રોકડા રૂ.૫,૪૧,૩૨, નવ મોબાઈલ ફોન કિં. રૂ. ૪,૧૪,૦૦૦ અને સાત વાહનો કિંમત રૂ. ૧૩,૫૦,૦૦૦નો થાય છે. આ દરોડામાં એસએમસી ટીમે મનસુખ પરમાર, અમિત રાઠોડ, રામા ગમારા, વિશાલ માધવી, દિપકકુમાર દાફડા, ચંદુ મહીડા, કુલદીપસિંહ રાઠોડ, ભુપત બોરીચા, રમેશ રાઠોડનો આરોપીઓને ઝડપી પાડવા આવ્યા હતા. જ્યારે આમાંથી ચાર આરોપીઓ રાજકોટ અને બાકીના સુરેન્દ્રનગરના રહેવાસી છે.
આ દરોડામાં રાજુ ડાંગર, પ્રદીપ ઉર્ફે પાડો સોલંકી, કાના ખત્રી, તેજસિંહ ઉર્ફે ભૈયો અને રવિ નામના પાંચ આરોપીઓ નાશી છુટતા તેઓને ઝડપી પાડવાની તજવીજ આરંભી હતી. ત્યારે આ બનાવની સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કેસની વધુ તપાસ બી ડિવિઝનના પીઆઇ પટેલ ચલાવી રહ્યા છે.