૯માર્ચે ખેડૂત ધીરૂભાઈ દલવાડીના ખેતરમાંથી ૧૫મણ જીરાની ચોરી:ભોગ બનનાર ખેડૂતએ જીરૂની ચોરી અંગે નોંધાવી હતી ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરૂના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરૂ વાઢીને ચોર ફરાર થઇ ગયા હતા.આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી પંથકમાં ખેતરમાં રહેલા તૈયાર પાક પણ જાણે સલામત ન હોય તેમ ખેતપેદાશોની ચોરીના બનાવો બનતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતા ધીરૂ મગનભાઇ દલવાડીએ પોતાના ખેતરમાં જીરૂનું વાવેતર કર્યું હતું.હાલ જીરૂનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો.ત્યારે રાત્રીના સમયે તસ્કરો ખેતરમાં ત્રાટક્યા હતા અને ખેતર માંથી અંદાજે પાંચ કિલોથી વધુ જીરું વાઢીનેચોરીને ફરાર થઇ ગયા હતા.ખેતરના માલિક ધીરૂ બીજા દિવસે સવારે ખેતરમાં આવતા ખેતરમાંથી જીરૂની ચોરી થયા અંગે જાણ થતા પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જીરૂની ચોરીને અંજામ આપી ખેડૂતોની ઊંઘ હરામ કરનાર બે તસ્કરો ગડા માથાસુરીયા અને ઘનશ્યામ ચુનારા નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.