વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ, યુવાનોના હૃદયમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવા અને જાહેરમાં બોલવાની કુશળતા વધારવા માટેનો સરાહનીય પ્રયાસ
ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત થઈ ચિંતન - મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદેશ્યથી શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને "સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન"ના ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફે. રમણીકભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને 'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-૨૦૨૫' નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોએ 'ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ', 'સંવિધાન @ 75', 'યુવાનો દેશનું ભવિષ્ય- વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ', 'માન-મર્યાદા અને સુશીલતા: ભારતીય સંસ્કૃતિનો પાયો' તેમજ 'વિકસિત ભારત 2047: ભવ્ય ભારત, દિવ્ય ભારત' જેવા વિષયો પર સ્વયંના વિચારો રજૂ કર્યા હતા.
આ સ્પર્ધાના માધ્યમથી યુવા શક્તિને વૈચારિક રીતે સમૃદ્ધ બનાવવા ઉપરાંત વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરવાને બદલે ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ફેશન, વ્યસન અને અશ્લીલતાને તિલાંજલિ આપીને ભારતીય મૂલ્યોના જતન માટે યુવા શક્તિને પ્રેરિત કરવામાં આવી હતી. સંસ્કારવાન યુવાધન એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આર્થિક, સામાજીક અને ટેકનોલોજીકલ વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરીને ભવ્ય ભારત અને દિવ્ય ભારતના નિર્માણ માટે યુવા-શક્તિને સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ આ સ્પર્ધા દરમિયાન કરવામાં આવ્યો હતો.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રોફે. જીવણભાઈ ડાંગર, પ્રોફે. જાગૃતિબેન રાવલ તથા પ્રોફે. પરાગભાઈ પરમારે ફરજ બજાવી હતી. કોલેજ કક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ વિદ્યાર્થીશ્રી અરવિંદભાઈ રાઠોડને રાજ્ય સરકાર તરફથી *બેસ્ટ સ્પીકર ઓફ કોલેજ*નો એવોર્ડ ઉપરાંત રૂપિયા એક હજારનું ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાનાર ઝોન ક્ક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફે. સ્નેહલબેન પરમારે તેમજ આભારવિધિ પ્રોફે. કલ્પેશભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવી હતી. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ.
આ સ્પર્ધાને કોલેજના તમામ પ્રાધ્યાપકો પ્રોફે. નિલેશભાઈ મારવણીયા, પ્રોફે. દેવેશભાઈ ચૌધરી, પ્રોફે. દીપકભાઈ જોશી, પ્રોફે. નિલેશભાઈ લખતરિયા, પ્રોફે. પંકજભાઈ નીનામા, પ્રોફે. રેહાનાબેન શેખ, શ્રી વિમલરાજસિંહ પરમાર વગેરે દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ઠક્કર અને મંત્રીશ્રી જયેશભાઈ પટેલના પ્રોત્સાહન અને કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. પ્રતિકભાઈ દવેના માર્ગદર્શન હેઠળ કોલેજના કો-ઓર્ડીનેટર ડૉ. સ્નેહલબેન પરમાર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પચાસ થી પણ વધારે વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રજિસ્ટ્રેશન કરાવીને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધાને કોલેજના તમામ પ્રાધ્યાપકો પ્રોફે. નિલેશભાઈ મારવણીયા, પ્રોફે. દેવેશભાઈ ચૌધરી, પ્રોફે. દીપકભાઈ જોશી, પ્રોફે. નિલેશભાઈ લખતરિયા, પ્રોફે. પંકજભાઈ નીનામા, પ્રોફે. રેહાનાબેન શેખ, શ્રી વિમલરાજસિંહ પરમાર વગેરે દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ઠક્કર અને મંત્રીશ્રી જયેશભાઈ પટેલના પ્રોત્સાહન અને કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. પ્રતિકભાઈ દવેના માર્ગદર્શન હેઠળ કોલેજના કો-ઓર્ડીનેટર ડૉ. સ્નેહલબેન પરમાર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પચાસ થી પણ વધારે વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રજિસ્ટ્રેશન કરાવીને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.