મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-૭ના જૈન દેરાસરમાં જૈનાચાર્ય શ્રી વિજય અભયદેવસૂરિશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા

0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-૭માં આવેલા જૈન દેરાસરમાં જૈનાચાર્ય શ્રી વિજય અભયદેવસૂરિશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે આ મુલાકાત વેળાએ જિનાલય ખાતે ભગવાનના દર્શન કરી, ઉપાશ્રયમાં ઉપસ્થિત જૈન ધર્મ, સંઘ અને ટ્રસ્ટના કાર્યો વિશે જાણકારી મેળવી હતી.  
આ અવસરે શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસર અને ઉપાશ્રયમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ ઓઢાડી,  પાઘડી તથા માળા પહેરાવીને જૈન સંઘના ટ્રસ્ટીઓએ વિશેષ બહુમાન કર્યું હતું. આ પ્રસંગે શ્રી હેમેન શાહ, શ્રી સંજય જૈન,  તુષાર શાહ,  હેમેન્દ્ર શાહ, ભરત શાહ, નીતિન સંઘવી, ચેતનભાઈ તથા બહોળી સંખ્યામાં જૈન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top