ટેક્નિકલ એનાલિસિસની મદદથી:ધ્રાંગધ્રા પોલીસે ગુમ થયેલા સાત મોબાઈલ ફોન શોધી માલિકોને પરત સોપ્યા

0
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉ. ગીરીશ પંડ્યાની સૂચનાથી ડીવાએસપી જે.ડી. પુરોહિત અને સીટી પીઆઈ એમ.યુ. મશીના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ સ્ટેશનના મોબાઈલ રિકવરી વિભાગે આ કામગીરી હાથ ધરી હતી. જેમાં અરજદારોએ આપેલા IMEI નંબરોને આધારે વિવિધ કંપનીના મોબાઈલ ફોન ટેક્નિકલ એનાલિસિસની મદદથી ગુમ થયેલા સાત મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આથી આ મોબાઈલ માલિકોમાં ધ્રાંગધ્રાના વિમલ ત્રિવેદી, પ્રથુગઢના ઉમેશ લકુમ, ધ્રાંગધ્રાના કાંતિલાલ પટેલ, ટી. નાગરાજુ રાજન, હળવદના ઇબ્રાહિમ શેખ અને ધ્રાંગધ્રાના સાબાજ સૈયદ સહિતના હતા‌
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી પુરોહિતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ ડોડીયા, અલ્પેશ અને કોમ્પ્યુટર ઓપરેટર સંજય પટેલની હાજરીમાં મૂળ માલિકોને મોબાઈલ ફોન તેમને સોંપવામાં આવ્યા હતા.




Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top