એ.આર.ઓ (આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ )અમદાવાદ દ્વારા ઇન્ડિયન આર્મીમાં ૮ પાસ,૧૦ પાસ, ૧૨ પાસ,ITI અને DIPLOMA પાસ માટે અગ્નીવીર ભરતી ૨૦૨૫-૨૬ માટે ઉમેદવારોએ પાસેથી ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારોની પ્રથમ તબકકાની કોમ્પ્યુટર બેઝ કોમન એન્ટ્રન્સ પરીક્ષા જુન ૨૦૨૫માં યોજાશે.
ભારતીય થલ સેના દ્વારા યોજાનાર અગ્નિપથ યોજના(અગ્નિવીર-આર્મી)માં જોડાવા માંગતા અપરણીત પુરુ ઉમેદવારોઓએ ભારતીય થલ સેનાની વેબસાઈટ https://www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતી માટે ધો ૧૦ અને ૧૨ની પરીક્ષા આપેલ રીઝલ્ટ બાકી હોય તેવા ઉમેદવારો પણ ઓનલાઈન અરજી કરી શકશે. ભરતીમાં ૧૭.૫ થી ૨૧ વર્ષના એટલે કે તા.૦૧ ઓકટોબર ૨૦૦૪ થી તા.૦૧ એપ્રિલ ૨૦૦૮ વચ્ચે જન્મેલા(બંને તારીખ ગણવી) અપરણીત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. પરિક્ષા માટે ઉમેદવારોએ ૨૫૦/- ફી ભરવાની રહેશે.
પોસ્ટ અને શૈક્ષણીક લાયકાતમાં અગ્નિવીર (GD)---45% માર્ક્સ સાથે 10મું પાસ (LMV લાઇસન્સ હોય તેમણે ડ્રાઈવર માટે પસંદ કરાશે), અગ્નિવીર (ટેક્નિકલ)---૫૦% સાથે એ ગ્રુપ ૧૨ સાયન્સ અથવા એ ગ્રુપ સાયન્સ સાથે ૧ વર્ષ ITI, અગ્નિવીર (ટેકનિકલ)---10મું પાસ અને ૨ વર્ષ ITI અથવા ૨/૩ વર્ષ DIPLOMA કોર્ષ, અગ્નિવીર (ઓફીસ આસીસ્ટન્ટ/સ્ટોર કિપર/ક્લાર્ક)---60% ગુણ સાથે 12મું પાસ.
અગ્નિવીર ટ્રેડ્સમેન---10મું પાસ(૩૩% સાથે), અગ્નિવીર ટ્રેડ્સમેન---8મું પાસ(૩૩% સાથે), સ્પોર્ટ્સ પર્સન, NCC સર્ટિફિકેટ તેમજ ITI અને DIPLOMA ઉમેદવારોને લાયકાત મુજબ ૦૫ થી ૫૦ બોનસ માર્ક, અગ્નિવીર (ટેકનિકલ) માટે ૧૬૭ સેમી, અગ્નિવીર ક્લાર્ક માટે ૧૬૨ સેમી અને અન્ય તમામ પોસ્ટ માટે ૧૬૮ સેમી ઊંચાઈ જરૂરી (એસ ટી ઉમેદવારો માટે ૧૬૨ સેમી ઉંચાઈ રહેશે. શૈક્ષણિક અને શારીરિક લાયકાત ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો માટે ઓનલાઈન પરીક્ષા સંભવિત જુન ૨૦૨૫ થી શરુ થશે.
ભારતીય સેના અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં સ્ટેપ ૧ - ઓનલાઈન કોમન એન્ટ્રન્સ પરીક્ષા - ((CEE ટાઇપિંગ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો), સ્ટેપ ૨ – CEE પાસ માટે શારીરિક પરીક્ષા (RECRUITMENT RALLY), સ્ટેપ ૩ - એડેપટીબીલીટી ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ, સ્ટેપ ૪ - ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન કરવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી કરવા અંગે તેમજ વધુ માહિતી તથા ભરતીની અપડેટ મેળવવા ભારતીય થલ સેનાની ઓફિસિયલ વેબસાઈટ https://www.joinindianarmy.nic.in અને હેલ્પલાઈન નંબર ૦૭૯-૨૨૮૬૧૩૩૮ પરથી માહિતી મેળવવી તેમજ વધુ માહિતી-માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી ,સેક્રેટરીએટ બીલ્ડીંગ સામે,કોર્ટ કંપાઉન્ડ, છોટાઉદેપુરનો સંપર્ક કરવા છોટાઉદેપુર રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.