સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હરીકૃષ્ણભાઈ ગોહિલ વયનિવૃત્ત થતાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો

0
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજરત નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હરીકૃષ્ણભાઈ ગોહિલ વયનિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો. એચ.વી.ગોહિલ તા. ૧૬/૩/૧૯૯૦ ના રોજ મહેસાણા ખાતેથી સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ ભૂજ-કચ્છ, સુરત, ગાંધીનગર, નડિયાદ(ખેડા), વ્યારા (તાપી), મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિત કુલ ૩૪ વર્ષ ૧૧ માસ અને ૧૩ દિવસની સરકારી સેવા દરમિયાન ગુજરાતના દરેક ઝોનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ તેઓની કામગીરીની કુશળતા અને શિસ્તબદ્ધતા, મિલનસાર સ્વભાવ, કામ પ્રત્યેનો ઉત્સાહ સહિતનાં સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ શ્રી હરીકૃષ્ણભાઈએ નિષ્ઠા અને ખંતપૂર્વક કરેલી દરેક કામગીરીને બિરદાવી તેઓનું નિવૃત્તિ જીવન આરોગ્યપ્રદ અને દીર્ઘ આયુષ્યવાળું રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
હરીકૃષ્ણભાઈ પોતાની સુદીર્ધ કારકિર્દીના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સરકારી સેવામાં સફળતાપૂર્વક દરેક કામગીરી સુપેરે પાર પાડવાનો શ્રેય તેમના ધર્મપત્ની અને પરિવારને આપ્યો હતો. માહિતી ખાતાની કામગીરી એવી છે કે, ક્યારે ક્યાં જવાનું થાય તે નક્કી ન રહે તેવા સંજોગોમાં પરિવારજનો કામની મહત્તા સમજી સપોર્ટ કરે તે ખૂબ અગત્યનો હોય છે. સરકારી સેવામાંથી નિવૃત થયા બાદ પણ માહિતી પરિવાર સાથે હરહંમેશ જોડાયેલા રહેશે. મહેસાણા ખાતે હાજર થયા ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન દરેક કાર્યસ્થળે તમામ અધિકારીશ્રીઓ, સ્ટાફ મિત્રોનો ખૂબ સાથ અને સહકાર મળ્યાના તેમજ માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. આ ઉપરાંત તેમણે સાથી કર્મચારીઓના પ્રેમ, લાગણીને યાદ કરી સર્વેનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

અત્રે નોંધનીય છે કે, એચ.વી.ગોહિલે સરકારી સેવા દરમિયાન મૂળ ટેકનિકલ કામગીરી ઉપરાંત વીડિયો કવરેજ, સમાચાર કવરેજ, પ્રેસનોટ લેખન, આર્ટીકલ લેખન, માન. રાષ્ટ્રપતિશ્રી, પ્રધાનમંત્રીશ્રી, તથા મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના કાર્યક્રમ દરમિયાન મીડિયા માટે ઓ.બી.વાન વ્યવસ્થા, મીડિયા પાસ તથા અન્ય લાયઝનીંગની કામગીરી પણ સુપેરે પાડી છે. ટેકનિકલ વ્યક્તિ હોવા છતાં સુરતમાં આવેલ વિનાશક પુર, ૨૦૦૧માં આવેલ ભૂકંપ અને ૨૦૦૨ના ગોધરાકાંડ પછી ફાટી નીકળેલ રમખાણો દરમિયાન વિડીયોગ્રાફી અને સંપાદકીય કામગીરી, FTP ની શરૂઆત, વેબસાઇટ અપડેટની સંપૂર્ણ કામગીરી સ્વતંત્ર રીતે સંભાળી છે. સમગ્ર સરકારી સેવાના કાર્યકાળ દરમિયાન દરેક કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ સહિત સાથી મિત્રોનો સાથ-સહકારથી દરેક કામગીરી હોંશભેર સુપેરે પાર પાડી છે.
આ તકે ઉપસ્થિત નિવૃત નાયબ માહિતી નિયામક શ્રી નિરાલા જોશી, નિવૃત સહાયક માહિતી નિયામકશ્રી જગદીશભાઈ સત્યદેવ, નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી એન. એમ દલવાડી તથા માહિતી પરિવારના મિત્રોએ નિવૃતિ જીવનની શુભેચ્છાઓ આપી સંસ્મરણો વાગોળ્યા હતા. આ તકે એચ.વી.ગોહિલને શ્રીફળ અને સાકરનો પડો, પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તેમજ સાથી મિત્રો તથા પરિવારજનો દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ કરી તંદુરસ્ત અને પ્રગતિશીલ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. 
રાજ્ય સરકારશ્રીની ફેલોશીપ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર માહિતી પરિવારમાં નવા જોડાયેલા માનાબેન મકવાણાનું પણ નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સુરેન્દ્રનગર માહિતી પરિવારના કર્મયોગી સર્વશ્રી શક્તિ મુંધવા, ભાવિકા લીંબાસીયા, જી.એમ. ટોળિયા, કૌશિક રાઠોડ, કદર્મ વ્યાસ, અજય મહેતા, ફૈઝલ ચૌહાણ, કિશન વડેસા, અનુપસિંહ પરમાર, વિક્રમસિંહ ઝાલા, હબીબભાઈ ખોખર સહિત સાથી મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top