સુરેન્દ્રનગર લીંબડી રૂટમાં ડ્રાઇવર પંકજભાઈ જીતીયા તથા કંડકટર ધર્મિષ્ઠાબેન ને આશરે ૨૦ હજારની કિંમતનો મોબાઈલ મળી આવેલ હતો. જે મૂળ માલિક ચૌહાણ પૃથ્વીરાજસિંહને સુરેન્દ્રનગર ડેપોના ટી.સી અરવિંદભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં ખરાઈ કરી પરત કરેલ છે. સુરેન્દ્રનગર લીમડી રૂટમાં ચાલતા બંને કર્મચારી દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપેલ છે આ સમયે એસ.ટી.અધિકારી એટીએસ કિશોરસિંહ પરમાર હાજર રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.