ધ્રાંગધ્રાની પ્રાથમિક સ્કૂલ નં.૧૧ના આચાર્ય દ્વારા છેલ્લા અઢી વર્ષથી કરવામાં આવી રહ્યું છે અનોખું કાર્ય
આપણી ગુજરાતી માતૃભાષા આજના યુવાવર્ગમાં ભુલાતી જાય છે. અને આજના યુવાનોમાં અંગ્રેજી નું પ્રભુત્વ વધી રહ્યું છે.ત્યારે આજના યુવાનોને આપણી ગુજરાતી માતૃભાષા વિશે જાગૃત થાય તે માટે એક શિક્ષક દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા શહેરમાં પ્રાથમિક શાળા નંબર - 11માં આચાર્ય તરીકે ફરજ બજાવતા કૌશિક કુમાર પ્રજાપતિ દ્વારા છેલ્લા અઢી વર્ષ થી દર મહિનાના પ્રથમ રવિવારે ગુજરાતી પુસ્તકનું એક પ્રદર્શન ધ્રાંગધ્રા શહેરના જોગાસર તળાવ, બગીચા કે લોકોની અવર જવર વધુ હોય તેવી જગ્યાએ યોજવામાં આવે છે. જેનો સમય સવારે 8 થી 11 નો હોય છે.
પુસ્તક પરબની અંદર નવલકથા, સાહિત્ય, આયુર્વેદ, ભજન, વાર્તા, જનરલ નોલેજ, સાયન્સ, બાળવાર્તા,ભાગવત ગીતા રામાયણ જેવા વિવિધ પુસ્તકો
આ પ્રદર્શનનો કરવા પાછળ નો મુખ્ય હેતુ આજની યુવા પેઢી ને ગુજરાતી ભાષા પ્રત્યે લોકો ગુજરાતી ભાષા જાણી શકે તેને વાંચી શકે. લોકોનું ગુજરાતી ભાષામાં જ્ઞાન વધે તેમજ તેમના વિચારોનો વિકાસ થાય તે અમે આ કાર્ય કરી રહ્યા છે. આ કાર્યમાં કોઈ વાચકને પુસ્તક જોતું હોય તો તે ઘેર વાંચવા માટે લઈ જાય છે. તેમજ અહીયા કોઈ વ્યક્તિને પુસ્તકોનું દાન કરવું હોય કે પોતાને લઈ જવું હોય અથવા અહીયા બેસીને વાંચન કરવું હોયતો તે કરી શકે છે. સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો આ જગ્યાની મુલાકાત પણ લઈ શકે તે માટે આ સમય રાખવામાં આવ્યો છે.આ પ્રદર્શન ની અંદર અત્યાર સુધીમાં 500 જેટલા વાચકોએ લાભ લીધેલ છે. વાચકો મનગમતા બે પુસ્તકો ઘરે વાચવા લઈ જાય તે લોકોને નિઃશુલ્ક આ પુસ્તક આપવામાં આવે છે જે બે મહિનામાં વાંચીને પરત આપવામાં આવતા હોય છે.પ્રદર્શનમાં ગાંધીજીના પુસ્તકો, નવલકથા, આયુર્વેદ,ભજન, વાર્તા,જનરલ નોલેજ, બાળ વાર્તા,ભાગવત ગીતા રામાયણ વિશેના વિવિધ પુસ્તકો હોય છે. વાચનના શોખીન લોકો અહીંયાથી પુસ્તકો વાંચવા માટે લઈ જતા હોય છે . તેમજ કોઈ વ્યક્તિ પાસે પુસ્તકો વધુ હોય તો તે અહીંયા પુસ્તકો દાનમાં પણ આપી જતા હોય છે