ઉતરાયણ પર્વને લેઇને પતંગના શોખીન લોકો સુરેન્દ્રનગર જિલ્લા મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે બજારમાં પતંગોએ આકર્ષણ જોવા મળી રહ્યું છે. હાલ બજારમાં અવનવી સાઈઝ અને ડિઝાઇનના પતંગો નજરે પડી રહ્યા છે. ત્યારે બજારમાં ભાવ વધારો પણ વર્તાય રહ્યો છે. ઉતરાયણના ગણતરીના દિવસો બાકી છે જેથી બજાર પતંગ દુકાને ઘરાકી જોવા મળી હતી.ઝાલાવાડવાસીઓ દરેક પર્વને હર્ષભેર ઉજવણી કરે છે. જીલ્લાના પતંગ રસિયાઓ કરોડો રૂપીયાના પતંગ દોરા ખરીદી જિલ્લા વાસીઓ ઉજવણી કરતા હોય છે. હાલ બજારોમાં અવનવી ડીઝાઇન વાળા પતંગોનું આકર્ષણ જોવા મળી રહ્યુ છે. જિલ્લામાં પતંગના વેપારીઓ મોટી સંખ્યામા વેચાણ કરી રહયા છે. જયારે પતંગનના ભાવની વાત કરવામાં આવે તો ૨૫ ટકાનો વધારો થયો છે. જયારે પર્વની હર્ષભેર અને 'સુરક્ષિત મકરસંક્રાંતિ તહેવાર ઉજવણી તે માટે વન વિભાગ તેમજ ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ અંતર્ગત પેમ્પલેટની વહેંચણી કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજ કરવામાં આવે છે અને ટુવ્હીલ લઇને પસાર થતા વાહનોમાં પોલીસ તંત્ર દ્વારા દોરીથી બચવા સળીયા લગાવવામાં આવી રહયા છે. જયારે તાજેતરમાં જ કરુણા અભિયાન-૨૦૨૫’ના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરએ કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલા આયોજન અંગેની જાણકારી મેળવી વિવિધ સૂચનો પણ કર્યા હતાં. જયારે વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન પણ કરેલ છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.