સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્યશાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને તાલુકા હેલ્થ કચેરી- વઢવાણનાં સંયુક્ત ઉપક્રમે આનંદભુવન – વઢવાણ ખાતે બાળકોને “સંજીવની ટોફી” વિતરણનો કાર્યક્રમ યોજાયો.
નાનાં બાળકોમાં કુપોષણ નાબુદ કરવા હેતુસર જિલ્લા કલેકટર શ્રી કે. સી. સંપટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરગવાના પાનના પાવડરમાંથી બનાવેલ ચોકલેટનું વિતરણ નાના બાળકોને કરવામાં આવ્યું હતું. આ સંજીવની ટોફી નાના બાળકોમાં કુપોષણ નાબુદ કરવામાં મદદ કરે છે. સરગવાના પાનમાંથી જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે અને બાળકોનાં હીમોગ્લોબીનમાં પણ વધારો થાય છે. આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલ, તાલુકા આરોગ્ય અધિકારી હરીત પાદરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહેન્દ્રસિંહ લીંબડ, પ્રવીણભાઈ જીતીયા, નરેશભાઈ પ્રજાપતી– જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો.
નાનાં બાળકોમાં કુપોષણ નાબુદ કરવા હેતુસર જિલ્લા કલેકટર શ્રી કે. સી. સંપટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરગવાના પાનના પાવડરમાંથી બનાવેલ ચોકલેટનું વિતરણ નાના બાળકોને કરવામાં આવ્યું હતું. આ સંજીવની ટોફી નાના બાળકોમાં કુપોષણ નાબુદ કરવામાં મદદ કરે છે. સરગવાના પાનમાંથી જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે અને બાળકોનાં હીમોગ્લોબીનમાં પણ વધારો થાય છે. આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલ, તાલુકા આરોગ્ય અધિકારી હરીત પાદરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહેન્દ્રસિંહ લીંબડ, પ્રવીણભાઈ જીતીયા, નરેશભાઈ પ્રજાપતી– જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો.