મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025’નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઉપસ્થિતિમાં શુભારંભ

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી મુળુભાઈ બેરા11 દેશોના પ્રતિનિધિઓ સહિત અન્ય મહાનુભાવો તથા વિશ્વભરમાંથી આવેલ પતંગરસિકોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે પતંગ મહોત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશથી પધારેલ પતંગબાજો દ્વારા વિવિધ પ્રકારના કલાત્મક અને વિશિષ્ટ પતંગો સાથે પરેડ તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કેમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉતરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવીને પ્રવાસન સાથે આ પર્વને જોડ્યો છે. તેમણે આ મહોત્સવને ગુજરાતની વૈશ્વિક ઓળખ આપનારો ગણાવ્યો હતો અને આ ઉત્સવમાં આવતા પ્રવાસીઓથી લોકલ ફોર વોકલ અભિયાન સહિત ગુજરાતને દેશ-વિદેશનું કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સંબોધતા પતંગ ઉદ્યોગમાં થયેલ પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.
પતંગોત્સવમાં જીવદયાની ભાવના સાથે સૌને સાવચેતી અને કાળજી રાખવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રાકૃતિક સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરાવીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વિપુલભાઇ (લાલો)પટેલ, મહેશભાઇ પટેલ ઉંદેલ, જશાભાઇ પટેલ, દેવાંગ સાપરા વઢવાણ કરી રહયા છે.

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top