મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ

0

તાજેતરમાં રાજયમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવમાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા ૧૭ અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે. ત્યારે આ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરની નિમણુંક કરાઈ છે.
જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં તાજેતરમાં નવરચિત ૯ મહાનગરપાલિકાઓના કમિશ્નરશ્રીઓ, વહીવટદાર કલેકટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સાકાર કરવા સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે ત્યારે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે હિમાયત કરી હતી.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top