સુરેન્દ્રનગરના પાટડી તાબાના વડગામમાં એક વૃદ્ધા રૂમમાં એકલા સુતા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સની ટોળકીએ વૃદ્ધાની હત્યા કરી વૃધ્ધના કાન કાપી કાનમાં પહેરેલ સોનાની કડીઓ, હાથ, પગમાં પહેરેલા સોનાના ભારે પાટલા લૂંટી ફરાર થઈ ગયા છે. જ્યારે બનાવની પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ પાટડીના વડગામ ખાતે રહેતા વૃધ્ધા શાંતિબેન ડોડીયાને એકલા રહેતા હતા અને દિકરો બાજુના મકાનમાં રહેતો હતો તેમજ એક દિકર ગામમાં દૂર રહેતો હોવાથી એકલા ઘેર સુતા હતા. જ્યારે સવારે દિકરાની પત્ની નબુબેને (સાસુ) વૃધ્ધાને ચા પીવા માટે પુછવા ગયા ત્યારે જગાડવા માટે બુમ પાડી પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા વહુએ મોઢેથી કપડુ દૂર કરા ખબર પડી કે માજી સાથે લૂંટ અને હત્યાની ઘટના બની છે. વહેલી સવારે ઘટનાની જાણ થતાં તેમણે તરત પોલીસને જાણ કરતાં દસાડા પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી મૃતક વૃધ્ધા શાંતિબેન ડોડિયાની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જયારે આ બનાવમાં અજાણ્યા શખસો સામે લૂંટ,હત્યા અંગેનો ગુનો નોધી હત્યારાઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યાં છે.