મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ કચ્છના સફેદ રણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રતિવર્ષ યોજાતા રણોત્સવમાં સહભાગી થવા ધોરડોની મુલાકાતે

0

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ કચ્છના સફેદ રણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની  પ્રેરણાથી  પ્રતિવર્ષ યોજાતા રણોત્સવમાં  સહભાગી થવા ધોરડોની મુલાકાતે છે.

પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાથે  તેમણે રણોત્સવ સ્થળે ક્રાફટ બજારના વિવિધ હસ્ત કલાકારીગરીના સ્ટોલની વિઝીટ કરીને ગ્રામીણ મહિલા શકિત સહિત કારીગરો સાથે સહજ સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી રણોત્સવ માણવા આવેલા અન્ય પ્રવાસીઓને પણ મળ્યા હતા અને સુવિધાઓ અંગે વિગતો જાણી હતી.
વિશ્વના પ્રવાસન નકશામાં આગવી ઓળખ મેળવેલા કચ્છ રણોત્સવમાં દેશ અને દુનિયાના પ્રવાસન પ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે. પ્રવાસન વિભાગના એક અંદાજ મુજબ ગયા વર્ષે અંદાજે 7 લાખ લોકો કચ્છના પ્રવાસે  આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ પ્રવાસીઓને દરવર્ષે નવી સુવિધા આપવાનો રાજ્ય સરકારનો
અભિગમ છે.આ પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ સફેદ રણ ધોરડો જઈ શકે તે માટે  આ વર્ષે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે.

એટલું જ નહિ ,માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે  તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા  રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.રીને સમગ્રતયા  રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top