વઢવાણનો અમદાવાદ રહેતો તાંત્રિક વિધિ કરીને લોકો સાથે છેતરપિંડી કરનારા મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે સાણંદથી ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ કસ્ટડી દરમિયાન આરોપી તાંત્રિકની વહેલી સવારે તબિયત બગડતા તેને સારવાર માટે ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારે તાત્રિકે રીમાન્ડ દરમિયાન અમદાવાદ પોલીસ સામે પોપટ બની ઘણા ચોકાવનારી મર્ડરની હિસ્ટ્રી જણાવી હતી.! જેમા તાંત્રિકે ૧ મર્ડર અસલાલીમાં, ૩ સુરેન્દ્રનગર, ૩ રાજકોટના પડધરી ખાતે, ૧ અંજાર, ૧ વાંકાનેર જ્યારે ૩ પોતાના પરિવારમાંથી મર્ડર કરેલાની કબૂલાત કરી હતી. ત્યારે મૃતક ભુવા સામે સુરેન્દ્રનગર મૂળચંદ ગામ પાસે બનાવમાં વધુ એક ફરીયાદ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે મૃતકના પુત્રએ ફરીયાદ નોધી હતી.
આ અંગેની બી ડીવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલ મોટા પીર ચોક રોડ પર શિયાણીપોળના નવલસિંહ કનુભાઈ ચાવડાએ તા.૧૦-૩-૨૦૨૩ને શુક્રવારના રોજ ફરિયાદી ભાવિક દિપેશ પટડીયા રહે વઢવાણ, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર, રહે.શીયાણીની પોળ ભાથી શેરી સામે, સાકડી શેરી તા, વઢ વાણ જી.સુરેન્દ્રનગર હાલ રહે,૨૫-સુખ સમૃધ્ધી એપાર્ટમેન્ટ, પ્રભાતચોક, ધાટલો ડીયા, અમદાવાદવાળાના પિતા દીપેશ પાટડિયા, માતા પ્રફુલાબેન પાટડિયા તેમજ બહેન ઉત્સવી પાટડિયાને વિધિ કરવાના બહાને સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ મુળચંદ કેનાલના નાળા ગામ પાસે બોલાવી તેમને વિધિના બહાને પાણીમાં સોડિયમ પાઉડર પીવડાવી બેભાન કરી ત્રણેયના મોબાઈલ ફોન, ઘરેણાં લઇ કેનાલમાં ધક્કો મારી પાણીમાં ડુબાડીને મોત નિપજાવ્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ અંગે વઢવાણ કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ દ્વારા આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગર બી ડિવિઝનના પીઆઇ એમ.એચ.પઠાણ ચલાવી રહ્યા છે.