સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ કોઠારીયા રોડ, વઢવાણ ખાતે નવનિર્મિત આયુર્વેદિક કોલેજની બાંધકામ સાઈટની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલના વિવિધ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે ૮૧.૫ કરોડના ખર્ચે ૧૦૦ બેડની આધુનિક સુવિધાયુક્ત નિર્માણાધિન આ આયુર્વેદિક હોસ્પિટલની સાથે કોલેજ, હોસ્ટેલ તેમજ અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.