સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારીધારકો પાલિકા બજાર માટે ડ્રોનુ યોજાયો

0
 ફેરિયાઓને ફાળવેલ જગ્યા અન્યને તબદીલ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે!: એસએમએસ 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારીધારકો માટે વેજીટેબલ માર્કેટ, ફુટ માર્કેટ તથા અન્ય ફેરીયાઓ માટે આગાઉ એક વૈકલ્પિક વ્યવસ્થા અન્વયે શહેરના મુખ્ય માર્ગો ઉપર ધંધો કરતા ફેરીયાઓના ફોર્મ ભરાવીને સર્વે કરી ફેરીયાઓને ધંઘો કરવા માટે જગ્યા ફાળવવા અંગેએ સએમએસ દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો.
ત્યારે આ ડ્રો તા.૦૩ માર્ચે ૨૦૨૫, સોમવાર સાંજે ૦૪:૦૦ કલાકે પાલિકા બજાર, ટાગોર બાગ પાછળ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યારે શેરી ફેરિયાઓની યાદી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં સમાવિષ્ટ શેરી ફેરિયાઓને ડ્રોમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા ખાતે ભરાયેલા ફોર્મ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ જે ઓળખકાર્ડ ધારક ફેરીયાઓનો સમાવેશ ડ્રોમાં અગ્રતાના ધોરણે કરવામાં આવ્યો હતો.
આથી જાહેર યાદી મુજબના લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ ગેરહજાર રહ્યા હતા તેઓને અન્ય તક આપવામા આવશે નહી તેમ‌ એસએમએસ દ્વારા જાણવા મળ્યું હતું. આ ડ્રો દરમ્યાન જે ફેરિયાઓને ૧૦૯૮ના રજીસ્ટ્રેશન થયાં હતાં અને ૨૨૦ને જગ્યા ફાળવવામાં આવી હતી. ત્યારે આ જગ્યા ફાળવવામાં આવે તે જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ જેતે ફેરિયાઓને ફાળવેલ જગ્યા અન્યને તબદીલ કરવામાં આવ્યાનું માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે ખાસ નોંધ લેવા જણાવવામાં આવે તેમજ અંતમાં જણાવ્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top