પાટડીમાં શ્રી લાલજી મહારાજની જગ્યામા શ્રી સત્યનારાયણ મંદિર પાટડી ખાતે ૧૬ મો વાર્ષિક પાટોત્સવનુ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં સાયલા સંચાલિત શ્રી સત્યનારાયણ મંદિર, પાટડી ખાતે મહંતશ્રી ગિરધરદાસ મહારાજના માર્ગદર્શન હેઠળ ૧૬ મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વિષ્ણુયાગ, શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં ભક્તોએ પોતાના ઘરેથી પ્રસાદ બનાવી લાવીને ભગવાનને જમાડ્યા હતા,વિશેષમાં સાયલાથી લાલપીઠાધિશ્વર ૧૦૦૮ શ્રી દુર્ગાદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક ભાવિક ભક્તોએ સત્સંગ અને ભોજનનો લાભ લીધો હતો.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.