ઝાલાવાડના જગદીશ ત્રિવેદીનુ કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી

0
કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્ય કાર્યક્રમનું આયોજન તા.૧ માર્ચના રોજ થયું હતું. 
બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે ૧૦,૦૦૦ કેનેડીયન ડોલર એટલે આશરે સવા છ લાખ રૂપિયા જેવી રકમ એકત્ર કરવામાં આવી હતી.
જે અમદાવાદની અનાથ બાળકોની “આંગન“ સંસ્થાને અર્પણ કરવામાં આવી હતી જેમાં સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ ચૌધરીના ૧૦૦૦ ડોલર, જગદીશ ત્રિવેદીના ૭૦૦ ડોલર , દાનવીર રમણભાઈ ચૌધરીના 500 ડોલર , ભારતમાતા મંદિરના પ્રણેતા અને પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર જેફ લાલના ૫૦૦ ડોલર મુખ્ય હતા પ્રમુખ રાકેશભાઈ ચૌધરી, કમિટી મેમ્બર્સ જયેશભાઈ વસાણી તેમજ પિયુષભાઈ પરમાર તથા મંદિરની સમગ્ર ટીમે ખૂબજ જહેમત ઉઠાવી અને સુંદર આયોજન કરેલ હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top