સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણ વાસીઓને વઢવાણની અસ્મિતા જોખમાઇ હતી. ત્યારે સુરેન્દ્રનગરમા વઢવાણ અસ્મિતા મંચ અને વઢવાણ શહેરના આગેવાનો દ્વારા વઢવાણ વિધાનસભા વિસ્તાર અને ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાથે મુલાકાત કરવામાં આવી હતી અને જગદીશભાઈ મકવાણાએ આ મામલે રાહત ના સમાચાર આપ્યા છે. કે ગત કેબિનેટ બેઠકમાં રજુઆત કરી છે અને ફરી આવતી કેબિનેટ બેઠકમાં રજુઆત કરીશ અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે તેઓએ ગુજરાત સરકાર મા લેખીતમાં પણ આપ્યું છે. ત્યારે વઢવાણ અસ્મિતા મંચ અને વઢવાણ શહેર ના આગેવાનો દ્વારા આવતી બેઠક ની રાહ જોવાય છે. જો વઢવાણ સંબંધિત સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનુ નામ જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ નગરજનોએ અંતમાં જણાવ્યું હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.