સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ૧૧ નવ દંપતિ આશિવર્ચન લઈ પ્રભુતામાં પગલાં માંડશે: અંદાજે ૬૭ જેટલી વસ્તુઓ દિકરીઓને કરીયાવરમાં આપવામાં આવશે
શ્રી લાલજી મહારાજની જગ્યા વઢવાણ લાલપીઠાધિશ્વર ૧૦૦૮ શ્રી લાલજી મહારાજની જગ્યા સાયલા તેમજ મહંતશ્રી ગીરધરદાસબાપુ શ્રી લાલજી મહારાજની જગ્યા વઢવાણના સાનિધ્યમાં સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન તા.૨૪ જાન્યુઆરી-૨૦૨૫ને શુક્રવારના રોજ દાજીપરા વઢવાણ ખાતે યોજાશે જેમાં ૧૧ દિકરી દિકરાઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં જોડાશે.
આ લગ્નોત્સમાં પૂજય સંતો લાલપીઠાધિશ્વરશ્રી દુર્ગાદાસજી મહારાજ શ્રી લાલજી મહારાજની જગ્યાસાયલા, મહામંડેશ્વરશ્રી કનીરામ બાપુ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ, મહામંડેશ્ર્વરશ્રી લલિતકિશોર શરણજી મહરાજ મોટા મંદિર લીંબડી, મહામડેશ્ર્વરશ્રી જાનીકદાસ બાપુ ભાણ સાહેબની જગ્યા કમીજણા, મહંતશ્રી વિજયદાસજી બાપુ દંડ આશ્રમ ડાકોર, મહંતશ્રી રામાશ્રયબાપુ શ્રી ગણપતિ ફાટસર વઢવાણ સહીતના આશિવર્ચન પાઠવશે. જયારે રાજસ્થ મહાનુભાવોમાં સાંસદ સભ્ય ચંદુભાઇ સિંહોરા, નાથબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા સહીત મહાનુભાવો ભવાનીસિંહ મોરી સેવાકુટીર વઢવાણ સહીતના આગેવાની માજી ધારાસભ્યો સહીત રાજકીય આગેવાનો આ તકે ઉપસ્થિત રહેશે. જયારે આ યોજાયેલ લગ્નોત્સવમાં ૧૧ દિકરીઓને દાત્તાઓ દ્વારા કરીયાવમાં અંદાજે ૬૭ જેટલી વસ્તુઓ આપવામાં આવશે.
આ સમુહ લગ્નોત્સવની વ્યવસ્થાપક સપક સુત્ર વિપુલદાસ સાધુ વઢવાણ, ઇન્દુભાઇ પટેલ જીણજ, રાજુભાઈ પટેલ જીણજ, દિપકભાઇ પટેલ રંગપુર, નરસિંહભાઈ પટેલ માલુ ધરમશીભાઇ ચૌહાણ (માસ્તર)વઢવાણ, વિપુલભાઇ (લાલો)પટેલ મહેશભાઇ પટેલ ઉદેલ, જશાભાઇ પટેલ, દેવાંગ સાપરા વઢવાણ કરી રહ્યા છે.