રણમલપુરથી એજાર જતાં ખેડુત પિતા-પુત્ર બાઈકના સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ-ફાયર અને સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ બંનેના મુતદેહ બહાર કઢાયા
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામના ખેડૂત પિતા પુત્ર અંદાજે સવારે ૮વાગ્યાના અરસામાં રમલપુર ગામેથી પોતાનું મોટરસાયકલ લઈને એજાર ગામે જઈ રહ્યા હતા. ત્યારે બાઈકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક રણમલપુર પાસે આવેલ નર્મદા કેનાલમાં ખાબક્યું હતું. ત્યારે આ બનાવમાં પિતા પુત્ર બંને ઉડા પાણીમાં ગરકાવ થયા હતા. આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હળવદ ફાયર ફાઈટર સહીત સ્થાનિક તરવૈયાઓને કરતા ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેને બહાર કાઢવામાં આવ્યા હતાં.
ખેડૂત પિતા અને પુત્ર રણમલપુર ગામેથી એજાર ગામે હલર લેવા જતા હતા ત્યારે રણમલપુર પાસે આવેલ નર્મદા કેનાલ નજીક બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું હતું અને બાઈક સવાર પિતા - પુત્ર બંને પાણીમાં ગરકાવ થયા હતા બનાવની જાણ થતા ફાયર ટીમ અને ટીકર ના સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી જોકે પિતા પુત્રના મૃતદેહ જ હાથ લાગ્યા હતા બનાવમાં ધીરૂભાઈ હરજીભાઈ ભોરાણીયા (ઉ.વ.૫૫) અને પુત્ર વિશાલ ધીરૂભાઈ ભોરાણીયા (ઉ.વ.૨૨) રહે રણમલપુર વાળાના મોત નિપજ્યું હતું બંને મૃતદેહ પીએમ અર્થે હળવદ ની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે પંથકમાં શોકનું મોજું ફરીવળીયુ હતું મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવથી નાના એવા રણમલપુરમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યું હતું.