પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીશ્રીએ ગુજરાતના સાસણગીર અભ્યારણની મુલાકાત લીધી

0
પ્રધાનમંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત 
કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા.૩ માર્ચના રોજ ગુજરાતના ગીરમાં સફારી પર ગયા હતા. જે ભવ્ય એશિયાઈ સિંહોના ઘર તરીકે જાણીતું છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી. 
આ તકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, આજે સવારે વિશ્વ વન્યજીવન દિવસ પર હું ગીરમાં સફારી પર ગયો, જે આપણે બધા જાણીએ છીએ તેમ, ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં, સામૂહિક પ્રયાસોએ ખાતરી કરી છે કે એશિયાઈ સિંહોની વસ્તી સતત વધી રહી છે.

એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે. “ગીરમાંથી કેટલીક વધુ ઝલક અહીં છે. હું તમને બધાને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું. વધુમાં પ્રધાનમંત્રીશ્રી ગીરમાં સિંહો અને સિંહણ! સવારે થોડી ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો હતો. (પોસ્ટેડ ઓન: 03 MAR 2025 12:03PM by PIB Ahmedabad)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top